પ્રોજેક્ટ પદ્ધતિ શા માટે ?
SOCIAL SCIENCE PROJECTWORK
- પ્રોજેક્ટ પદ્ધતિ એ જોહન ડ્યુઇએ રજૂ કરેલ ક્રિયા દ્વારા શિક્ષણ અને અનુભવ દ્વારા શિક્ષણના સિદ્ધાંત પર રચાયેલ છે. આ પદ્ધતિ વિશે જુદા જુદા શિક્ષણકારોએ જુદા જુદા વિચારો રજૂ કર્યા છે.
- સામાજિક પરિસ્થિતિમાં સહ્રદયતા પૂર્વક ચાલતી હેતુપૂર્ણ પદ્ધતિ એ પ્રોજેક્ટ છે.
- શાળામાં આયાત કરેલ વાસ્તવિક જીવન નો નાનકડો ભાગ એટલે પ્રોજેક્ટ.
- Project is a bit of real life that has been importe in the school –beboard.
પ્રોજેક્ટ અંગેની મહત્વની બાબતો
- પ્રોજેક્ટ દ્વારા શાળામાં બાળકોને આપવામાં આવતા અનુભવો જીવનના અનુભવો જેવા વાસ્તવિક અને હેતુપૂર્ણ હોવા જોઈએ.
- પ્રોજેક્ટની પરિપૂર્ણતા માટે વિદ્યાર્થીઓએ શ્વેચ્છા પૂર્વક આનંદથી અને સહધ્યાથી કાર્ય કરવું જોઈએ.
- પ્રોજેક્ટ એ હેતુલક્ષી પ્રવૃત્તિ છે, આથી તે પરિપૂર્ણ થાય તેવો અચૂક ખ્યાલ રાખવો જોઈએ.
પ્રોજેક્ટને નીચેના સોપાનો માં નોંધાવી શકાય છે.
૧) પ્રોજેક્ટ માટે યોગ્ય પરિસ્થિતિનું નિર્માણ
૨) પ્રોજેક્ટ ની પદ્ધતિ
૩) આયોજન
૪) અમલીકરણ
૫) મૂલ્યાંકન
૬) અહેવાલ લેખન
અહી ઉચ્ચતરપ્રાથમિકમાં કરાવી શકાય એવા પ્રોજેક્ટની pdf નીચે ડાઉનલોડ બટન પર CLICK કરીને મેળવી શકો છો.