guru govindsinhji

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

ગુરુ ગોવિંદસિંહજી

ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ 1966 માં પૌષ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે એટલે કે 20મી જાન્યુઆરીનાં રોજ બિહારના પટના સાહિબમાં થયો હતો. શીખ સમુદાય આ દિવસને ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે. આ દિવસે ગુરુદ્વારાઓમાં રોશનીનો શણગાર કરવામાં આવે છે. લોકો ભજન, કીર્તન સાથે પૂજા કરે છે. સવારે શહેરમાં પ્રભાત ફેરી કાઢવામાં આવે છે. લંગર (સમૂહ પ્રસાદ)નું પણ આયોજન કરાય છે.

ગુરુ ગોવિંદસિંહજીનું બાળપણ:

 ગુરુ ગોવિંદસિંહના માતાનું નામ ગુજરી અને પિતાનું નામ ગુરુ તેગ બહાદુર હતું. ગુરુ તેગ બહાદુરજી શીખ સમુદાયના 9મા ગુરુ હતા. પરિવારના બાળકો ગોવિંદને પ્રેમથી ગોવિંદરાય કહેતા હતા. ગુરુ ગોવિંદસિંહનું બાળપણ બિહારના પટનામાં વિત્યું હતું. ત્યાં તે નાનપણમાં બાળકો સાથે તીર-લડાઇ, કૃત્રિમ યુદ્ધ જેવી રમતો રમતો હતા. આને કારણે બાળકોએ તેમને સરદાર તરીકે સ્વીકારવાનું શરૂ કર્યું. તેમને હિન્દી, સંસ્કૃત, પર્શિયન, બ્રિજ વગેરે ભાષાઓનું જબરદસ્ત જ્ઞાન હતું. નવેમ્બર 1675 માં ગુરુ તેગ બહાદુરની શહાદત પછી ગુરુ ગોવિંદસિંહજીએ 09 વર્ષની વયે રાજગાદી સંભાળી. તેઓ નિર્ભય અને બહાદુર યોદ્ધા હતા. તેમની બહાદુરી વિશે લખવામાં આવ્યું છે કે , “સવા લાખ સે એક લડાઉ ચિડીયો સે મેં બાજ લડાઉ તબ ગોવિંદસિંહ નામ કહાઉ.” ખાલસા પંથ અને પાંચ કકાર- ગુરુ ગોવિંદસિંહજીએ જ આપી ખાલસા પંથની સ્થાપના કરી હતી. તેમણે દરેક શીખને કીર્પાણ અથવા શ્રીસાહેબ પહેરવાનું કહ્યું. તેમણે ખાલસાને અવાજ આપ્યો “વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ”. તેમણે જ શિખો માટે ‘પાંચ કકારા’ એટલે કે (ક અક્ષરથી શરૂ થતી એવી નિશાની કે જેનાથી શીખ કોમનું પ્રતિનિધિત્વ પ્રસ્થાપિત થાય) કેશ, કડું, કિર્પાણ, કંગી અને કચ્છાને ફરજિયાત બનાવ્યા હતા. શીખ ધર્મમાં પુરુષોએ દાઢી કે માથાના કેશ(વાળ) ન કપાવવા, હાથમાં કડું પહેરવું, માથાના વાળમાં ખાસ પ્રકારની કંગી (એક પ્રકારનો કાંસકો) ખોસી રાખવો, કીર્પાણ (કેડ પર બરછી જેવું શસ્ત્ર), અને કચ્છા (કમર નીચે પહેરવામાં આવતું વસ્ત્ર), આમ પાંચ ‘ક’ ધારણ કરવું ફરજીયાત બનાવ્યું. આ પાંચ નિશાનીઓથી શીખ વ્યક્તિ યોદ્ધા તરીકે પ્રસ્થાપિત થતો.

ગુરુ ગોવિંદસિંહજીનું જીવન: 

શિખગુરુ ગોવિંદસિંહજીનો જન્મ 22 ડીસેમ્બર, 1666ના રોજ પટના સાહિબમાં શ્રીતેગ બહાદુરજીના ઘેર માતા ગુજરીજીની કૂખે થયો હતો. શ્રી તેગબહાદુરજી, એ સમયે શીખોના પ્રચાર માટે દેશનું ભ્રમણ કરી રહ્યા હતાં. એમણે પોતાના પરિવારને બિહારના પટના સાહેબમાં રોકાણ કરવા કહ્યું અને સ્વયં આસામ તરફ ચાલ્યાં ગયા. ગુરુજી જ્યારે બાંગલાદેશ પહોંચ્યા, તો એમને ગુરુ ગોવિંદસિંહજીના જન્મની સુચના મળી. શ્રી ગુરુ ગોવિંદસિંહજી નાની ઉંમરનાં હતાં, ત્યારે જ તેગબહાદુરજીએ શ્રી આનંદપુર સાહિબ આવીને પરિવારને બોલાવી લીધો! જે સમયે ગુરુ ગોવિંદસિંહજીનો જન્મ થયો, એ સમયે મુગલ બાદશાહ ઔરંગઝેબનું રાજ્ય હતું. એમની શાહી સેના ભારતીય જનતા પર બહુજ જુલમ કરતી હતી અને એમના દેશભરમાં પોતાનાં બધાજ સુબેદારોને આદેશ આપ્યો કે, હિન્દુઓના બધાંજ મંદિરો તોડી નાંખો. એ સમયે કાશ્મીરના ગવર્નર ઇક્તિખાર ખાન હતાં. જેમણે બાદશાહના આદેશોને લાગુ કરવાનું નક્કી જ કરી લીધું હતું. કાશ્મીરમાં મંદિર પાડવા લાગ્યા અને હિંદુઓને ધર્મ પરિવર્તન કરવા મજબૂર કરવા માંડ્યા! એવી નાજુક સ્થિતિમાં જયારે કાશ્મીરી પંડિતોના એક દળે તેગબહાદુરજીને સહાયતાની યાચના કરી, ત્યારે પુત્ર ગોવિંદસિંહે પિતાને કહ્યું કે” પિતાજી ધર્મની રક્ષા માટે આપથી મોટો મહાપરુષ કોણ હોઈ શકે. આવી રીતે હિન્દુસ્તાનમાં હિંદુ ધર્મની રક્ષા માટે શ્રી ગોવિંદસિંહજીએ નાની વયે જ પોતાના પિતાજીને દિલ્હી તરફ રવાના કર્યા. એ પછી ઔરંગઝેબના આદેશ પર શ્રી તેગબહાદુરજીને શહીદ કરવામાં આવ્યા. ગુરુજીની શહીદી બાદ શ્રી ગુરુ ગોવિંદસિંહે બધાં શિખોને શસ્ત્રધારણ કરવાં તથા સારાં ગોળાઓ રાખવા માટે એક આદેશ જારી કર્યો. જેવી રીતે શ્રી અર્જુનદેવજીની શહીદી પછી શ્રી ગુરુ હરગોવિંદ સાહિબજીએ કર્યો હતો! પિતા ગુરુ તેગબહાદુરજીની શહાદત પછી ગોવિંદરાયને નવ વર્ષની ઉંમરમાં 11 નવેમ્બર, 1675માં વિધિવત રૂપે ગાદી પર બેસાડવામાં આવ્યા. એના પછી સૌથી પહેલાં ગોવિંદરાયે પોતાના નામની સાથે સિંહ જોડી દીધું અને સમસ્ત શિખોને પોતાનાં નામની પાછળ સિંહ જોડવાનું કહ્યું. ‘ખાલસા’ શબ્દ શુદ્ધતાનો પર્યાય છે. અર્થાત જે મન, વચન અને કર્મથી શુદ્ધ છે અને સમાજ પ્રતિ સમર્પણનો ભાવ રાખતો હોય, એજ માણસ ‘ખાલસા’ પંથનો સ્વીકાર કરી શકે છે. એમણે પંજ પ્યારેની નવી વાત કરી. પંચ પ્યારે દેશના વિભિન્ન ભાગોમાંથી આવેલાં સમાજની અલગ-અલગ જાતિઓને સંપ્રદાયનાં પાંચ બહાદુર લોકો હતા. જેમને એક કટોરામાં પ્રસાદ પીવડાવીને શિખો વચ્ચે સમાનતા અને આત્મસમ્માનની ભાવના જાગૃત કરી અને એકતાના સૂત્રમાં બાંધવાની કોશિશ કરી. એમણે કહ્યું કે”મનુષ્ય જાતિ બધી એકજ છે” એક ધર્મસભા દરમિયાન તેઓએ કરેલ નિર્દેશ પર શીખ માટે ખાલસા પંથના પ્રતીકરૂપે કેશ, કાંસકો, કિરપાણ, કચ્છો અને કડા અનિવાર્ય બનાવ્યા. શ્રી આનંદપુર સાહિબમાં રહેતાં રહેતાં પહાડી રાજાઓ સાથે ગુરુજીએ લડાઈ ચાલુ રાખી, ત્યારે જીત હંમેશા ગુરુજીની જ થતી હતી. ઇ. સ.1704 માં ગુરુજીએ શ્રી આનંદપુરનો કિલ્લો છોડી દીધો. જેના કારણે ગુરુજીનો આખો પરિવાર વિખરાઈ ગયો. ચમકૌર સાહિબની બે કાચી ગલીમાં ગુરુજીએ પોતાના 40 સિંહ સમાન યોદ્ધાઓ સાથે 10 લાખની મુગલસેનાનો સામનો કર્યો. જ્યાં ગુરુજીના બે મોટાં પુત્રો બાબા અજીતસિંહ તથા બાબા ઝુઆરસિંહ શહીદ થયાં. ગુરુજીના નાના દીકરાઓ બાબા જોરાવરસિંહ તથા બાબા ફતેહસિંહજીને સરહિંદના વજીરખાનનાં આદેશથી જીવતાં દીવાલોમાં ચણી દીધાં. પછીથી બાબા ચંદાસિંહે નાંદેડનાથી પંજાબ જઈને સાહીબજાદાઓનો બદલો લીધો. ગુરુજીએ સાબોની તલવંડીમાં શ્રી ગુરૂગ્રંથ સાહિબને પુન: સંપાદન કર્યો તથા પોતાનાં પિતાશ્રી તેગબહાદુરજીની વાણીને અલગ-અલગ રાગોમાં સંપાદિત કરી.
ઇ. સ.1707માં ગુરુ ગોવિંદસિંહ મહારાષ્ટ્રના નાંદેડ ગયાં. જ્યાં એમણે માઘોદાસ વૈરાગીનો અમૃત સંચાર કરીને બાબા બંદાસિંહ બહાદુર બનાવ્યા તથા જુલ્મનો સામનો કરવા માટે એમને પંજાબ તરફ મોકલ્યા. નાંદેડમાં બે વિશ્વાસઘાતી પઠાણોએ ગુરુજી પર છુરાથી વાર કરી દીધો. ગુરુજીએ પોતાની તલવારથી એક પઠાણને તો ત્યાંને ત્યાં જ ખતમ કર્યો, જ્યારે બીજો શિખો દ્વારા માર્યો ગયો. ગુરુ ગોવિંદસિંહજીના પૂર્વ જન્મો ઘણાં અગાધ હતાં, તેથી તેઓ 07 ઓક્ટોબર, 1708 માં જ્યોતમાં સમાઈ ગયા તથા શ્રી ગુરુગ્રંથ સાહિબને ગુરુપદ આપી ગયાં.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...